Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભાગવતાચાર્ય મધુસુદન શાસ્ત્રીજીના અવસાનથી આધ્યાત્મિક ક્ષેત્રે મોટી ખોટઃ ઉદય કાનગડ

રાજકોટ તા. ૧૧ : પ્રખર ભાગવતાચાર્ય પૂ.મધુસુદન શાસ્ત્રીજીના દુઃખદ અવસાન બદલ શોકાંજલિ પાઠવતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ જણાવે છે કે, હિન્દુ સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન ભાગવતના પ્રચાર અને પ્રસાર માટે પૂ.મધુસુદન શાસ્ત્રીજીએ કેટલી સેવા અવિસ્મરણીય છે. તેઓ ઘણા વર્ષ સુધી દેશ-દેશાવરમાં પોતાની સુમધુર વાણીથી લોકોને ભાગવત કથાનું રસપાન કરાવતા. તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રનું ખુબ જ જ્ઞાન ધરાવતા હતા. તેઓના જવાથી સમાજએ એક પ્રખર ધાર્મિક અને આધ્યાત્મિક આગેવાન ગુમાવ્યા છે.

(3:40 pm IST)