Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મામાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ભાણેજ ચીરાગને છરી ઝીંકાઇ

જામનગર રોડ વાલ્મીકી વાડીમાં બનાવઃ સમીર નૈયા સામે ગુનો : ઝઘડો જોવા જતા પ્રકાશ વાઢેરને પણ મોઢા પર રંઢીયાનો ઘા આવતા ઇજા

રાજકોટ તા ૧૧  : જામનગર રોડ પર વાલ્મીકી વાડીમાં મામાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ભાણેજને દલીત શખ્સે છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર વાલ્મીકી વાડી આવાસ યોજના કવાર્ટરમાં રહેતો ચીરાગ અતુલભાઇ ઢાંકેચા (ઉ.વ.૨૩) રાત્રે પોતાના ઘરે હતો ત્યારે ઘર પાસે વાલ્મીકી વાડી શેરી નં.-ર ના ખૂણે રહેતા તેના મામાના ઘર પાસે વાલ્મીકી વાડીમાં રહેતો સમીર કિરણભાઇ નૈયા ગાળો બોલતો હોઇ, તેથી ભાણેજ ચીરાગ તેને ગાળો બોલવાની ના પાડતા સમી નૈયાએ તેને ગાળો આપી ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ ચીરાગ ઢાંકેચાને કમર તથા વાસાના ભાગે છરીના બે ઘા ઝી'કી દીધા હતા. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. દરમ્યાન આવાસ યોજના કવાર્ટરમાં રહેતો પ્રકાશ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.રર) ઝઘડો જોવા માટે જતા તેને પણ માઢા પર રંઢીયાનો ઘા આવતા ઇજા થઇ હતી. બાદ ચીરાગને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોતરે ચીરાગની ફરીયાદ પરથી સમીર કીરણભાઇ નૈયા વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:31 pm IST)