Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

માતાએ ટીવી જોવાની ના પાડી રસોઇ બનાવવાનું કહેતાં લખીને લાગી આવ્યું: એસિડ પી આપઘાત

ગોંડલ રોડ આંબેડકરનગરમાં બનાવઃ ૨૦ વર્ષની દિકરીના મોતથી ભરવાડ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: ગોંડલ રોડ એસ. ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૩માં રહેતી લખીબેન માવજીભાઇ રાતડીયા (ઉ.૨૦) નામની ભરવાડ યુવતિને માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી આવતાં એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

લખીબેન રાત્રે દસેક વાગ્યે એસિડ પી જતાં એચ. જે. દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહિ વેલી સવારે તેણીએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ મારફત જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ એચ. એમ. મણવરે જરૂરી કાર્યવાહી કરી હતી.  આપઘાત કરનાર લખીબેન ચાર બહેન અને એક ભાઇમાં સોૈથી નાની હતી. તેના પિતા માવજીભાઇ છુટક મજૂરી કરે છે. પરિવારજનોના કહેવા મુજબ લખીબેન રાત્રે ટીવી જોતી હતી ત્યારે માતા શાંતિબેને તેને રસોઇ કરવાનું કહી ઠપકો આપતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલું ભરી લીધું હતું. યુવાન દિકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૯)

(12:58 pm IST)