Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મુંબઇ પંતનગર જૈન સંઘના આંગણે પૂ. ભારતીબાઇ મ.નો ચાતુર્માસ પ્રવેશ

રાજકોટઃ તા.૯, ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના તીર્થસ્વરૂપા, શાસનચંદ્રીકા ગુરૂણીશ્રી બા.બ્ર.પ.પૂ. હીરાબાઇ મહાસતીજીના સુશિષ્યા તપસ્વી બા.બ્ર.પૂ. ભારતીબાઇ મ પ્રવચન  પ્રભાવક ડો. બા.બ્ર.પૂ. સોનલબાઇ મ. ઠાણા-૨ના મુંબઇ શ્રી પંતનગર સ્થાનકવાસી જૈનમાં ચાતુર્માસ પ્રવેશ કરેલ. મુંબઇના વિવિધ સંઘોના અગ્રણીઓએ હાજર રહેલ.

વિહારયાત્રા રાજાવાડી સંઘથી પ્રારંભ થતા શશીભાઇ ઉદાણી, નીલકંઠ રેજન્ટથી પતંનગર સ્થાનકે પહોંચી જૈનશાળાની બાલીકા, કળશધારી બહેનોએ સુત્રો બોલાવતા પ્રવેશ કરાવ્યો. અનુમોદનાના લાભાર્થી રતિલાલ નારાયણ દોશી પરિવાર પૂ. સોનલબાઇ મ.ના સંસારી પરીવારે લાભ લીધો પ્રવેશ પ્રસંગે મહિલા મંડળના મીનાક્ષી બહેને સ્વાગતગીતથી સન્માન કર્યું. પૂ. સોનલબાઇ મ. એ ધર્મ કરનારાના ૫ ચેઇન્જીસ પર ચાતુર્માસ મંગલમય સંદેશ આપ્યો, પૂ. ભારતીબાઇ મ. સંઘને આર્શિવચન અને ગુરૂણી શ્રી હીરાબાઇ મ.ના અભિનંદન પત્ર મમતાબેને વાંચી સંભળાવ્યા.

ગુરૂપુર્ણિમા દિવસે એકાવતારી પૂ. ડુગરસિંહજી મહારાજ સાહેબ પૂ. ગાદીપતિ ગિરીશમુનિ મ.સા. સૌમ્યમુર્તિ વખતબાઇ મ. સ્વાધ્યાય પ્રેમી પૂ. નંદાબાઇ મ.ની પૂણ્યસ્મૃતિ નિમિતે પોલાઅઠ્ઠમ, જાપ વિવિધ અનુષ્ઠાનો કરાવામાં આવશે. પ્રમુખશ્રી વિનોદભાઇ, હિતેશભાઇ, પ્રફુલભાઇ, મનિષભાઇ, અતુલભાઇ, રમેશભાઇએ જહેમત ઉઠાવી હતી. કમલેશભાઇ ઠોસાણીએ નવકારશીનું આયોજન કરેલ તેમ ડોલરભાઇ કોઠારીની યાદી જણાવે છે.

(3:35 pm IST)