Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભરણ પોષણનો કેસ શું કામ કર્યો? કહી જયાબેનને પતિ બાવજીભાઇએ ધોકાવ્યા

રાંદરડા તળાવ પાસે રહેતાં મહિલા પાંચેક દિવસથી પતિને ત્યાં હતાં

રાજકોટ તા. ૬: હાલ રાંદરડા તળાવ પાસે દિકરી સાથે રહેતાં  જયાબેન બાવજીભાઇ મકવાણા (ઉ.૩૫) નામના મહિલાને તે નવા થોરાળાના ન્યુ વિજયનગરમાં પતિ બાવજીભાઇ મકવાણાના ઘરે હતાં ત્યારે પતિએ ઝઘડો કરી મારકુટ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને યુવરાજસિંહે જાણ કરતાં થોરાળાના હેડકોન્સ. મુકેશભાઇ ચરમટાએ ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. જયાબેને કહ્યું હતું કે તેના પતિ સફાઇ કામદાર છે. બંને વચ્ચે ઝઘડો થતાં પોતે અલગ રહે છે અને પતિ સામે ભરણ પોષણનો કેસ કર્યો છે. પાંચેક દિવસ પહેલા સમાધાનની વાત થતાં પોતે તેના ઘરે ન્યુ વિજયનગરમાં રહેવા ગઇ હતી. પતિએ ભરણપોષણનો કેસ શું કામ કર્યો? કહી ઝઘડો કરી મારકુટ કરી હતી. પોતાના ઘરેણા પણ પતિે રાખી લીધાનો આક્ષેપ તેણીએ કર્યો હતો.

(3:42 pm IST)