Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ભગવતીપરામાં ફુલના ધંધાર્થી દંપતિને દિપકે લાકડીથી માર માર્યો

રાજકોટ તા. ૬: ભગવતીપરા-૫માં રહેતાં અને ફુલનો ધંધો કરતાં દેવીપૂજક દંપતિ ઉમેશ બાઘાભાઇ સોવસીયા (ઉ.૩૫) તથા ગજરાબેન ઉમેશ સોવસીયા (ઉ.૩૨)ને સવારે રામનાથપરા ગરબી ચોક પાસે ગોૈશાળા નજીક હતાં ત્યારે બાજુમાં ફુલનો ધંધો કરતાં દિપકે લાકડીથી માર મારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ધંધાખારને કારણે હુમલો થયાનું જણાવાયું હતું. આ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:44 pm IST)