Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

તંત્ર કયારે જાગશે? સદર બજાર વિસ્તારમાં ગંદા પાણીની રેલમછેલ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૭નાં સદર વિસ્તાર, કચ્છી શેરી, ડો.સેદાણી શેરી,હુસેની ચોક, પંચનાથ વિસ્તાર, જાગનાથ પ્લોટ, ગવલીવાડ સહિતનાં વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભ ગટર છલકાવાને કારણે શેરીઓમાં ગંદા પાણીની રેલમછેલ થઇ રહ્યાની ફરીયાદ વિસ્તારવાસીઓમાં ઉઠવા પામી છે. આ અંગે શહેર કોંગ્રેસ મહામંત્રી હબીબભાઇ ગનીભાઇ કટારીયાએ જણાવ્યુ હતુ કે, સદર બજારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટર છલકાવાથી વિસ્તારમાં ગંદા પાણી વહી રહ્યા છે.આ સમસ્યા ઉકેલવા તંત્રને અવાર નવાર રજૂઆત કરવા છતા પરિસ્થતી જૈસે થે  જોવા મળી રહી છે.વિસ્તારવાસીઓમાં રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે.આ પ્રશ્ન તાત્કાલીક ઉકેલવા માંગ કરવામાં આવી છે. ઉપરોકત તસ્વીરમાં સદર બજાર વિસ્તારની શેરીઓમાં ગંદા પાણીની રેલમછેલ નજરે પડે છે.અન્ય તસ્વીરમાં હબીબભાઇ ગનીભાઇ કટારીયા નજરે પડે છે.

(4:32 pm IST)