Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કણકોટમાં પાણીની લાઇન કાઢવા બાબતે મારામારીઃ પાંચને ઇજા

મનુભાઇ રાઠોડ, તેના બે પુત્ર, પુત્રવધુ અને સામા પક્ષે પ્રવિણભાઇ પરમારને ઇજાઃ લાકડી-ધોકાથી ધબધબાટીઃ સામ સામી ફરિયાદ

રાજકોટ તા. ૬: કાલાવડ રોડ પર કણકોટમાં પડોશીઓ વચ્ચે પાણીના નિકાલ માટેની પાઇપ લાઇન બાબતે લાકડી-ધોકાથી મારામારી થતાં પાંચને ઇજા થઇ હતી.

કણકોટ રહેતાં મનુભાઇ મેઘજીભાઇ રાઠોડ (ઉ.૫૫) નામના દલિત પ્રોૈઢ પર પડોશી પ્રવિણભાઇ પરમાર, કાનજીભાઇ સહિતે કુંડલીવાળી લાકડીથી હુમલો કરતાં ઇજા થઇ હતી. મનુભાઇને બચાવવા માટે વચ્ચે પડેલા પુત્રો ગોૈતમ (ઉ.૨૮), નિતીન (ઉ.૨૬) અને પુત્રવધૂ અસ્મિતા (ઉ.૨૪)ને પણ ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.સામા પક્ષે પ્રવિણભાઇ મુળજીભાઇ પરમાર (ઉ.૪૫) પણ પોતાના પર મનુભાઇ અને તેના પુત્રોએ ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ સાથે દાખલ થતાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ જાડેજા અને હિતેષભાઇ જોગડાએ બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. મનુભાઇના પુત્રો વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ લાઇન ફીટ કરતાં હોઇ પ્રવિણભાઇ સહિતના સાથે બોલાચાલી થતાં મારામારી થઇ હતી. (૧૪.૧૦)

(4:27 pm IST)