Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભારદ્વાજ પરિવાર દ્વારા રાષ્ટ્રવંદના : દિવડા પ્રગટાવ્યાઃ આજે ભાજપના સ્થાપનાદિને ધ્વજ લહેરાવ્યો

રાજકોટ : ગઇકાલે દેશભરમાં રાત્રીના સમયે દિવડા ઝળહળી ઉઠયા હતા. એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. તો રાજકોટ શહેર પણ દિવડા-મીણબતીઓ, મોબાઇલ ટોર્ચની લાઇટોથી ઝળહળી ઉઠયું હતું. દરમિયાન ભારદ્વાજ પરિવાર દ્વારા પણ દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. તસ્વીરમાં દિવડાઓ પ્રગટાવતા પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ અને શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ તેમજ આજે ૬ એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ હોય જાણીતા ધારાશાસ્ત્રી અને રાજયસભાના ઉમેદવાર શ્રી અભયભાઇ ભારદ્વાજ અને શ્રીમતિ અલ્કાબેન ભારદ્વાજ દ્વારા પોતાના ઘરની અગાસીએ ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો.

(4:12 pm IST)