Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા દોઢ લાખનું અનુદાન

રાજકોટ : વર્તમાન સમયમાં મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારી સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે, ત્યારે રાજકોટના શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનને મુખ્યમંત્રી રાહતફંડમાં ૧ લાખ ૫૧ હજારનો ચેક મહેશભાઈ ભીમાણી હસ્તક રાહતફંડમાં અર્પણ કરી, એક આદર્શ ઉદાહરણ પૂરૂ પાડી, કલેકટર કચેરી ખાતે ચેક અર્પણ કરેલ. આ પ્રસંગે શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાનમંદિર પરીવારના સભ્ય, બાંધકામ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા તથા વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા, વિશાલભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.

(4:12 pm IST)