Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સમગ્ર દેશ દિવડાઓથી ઝળહળી ઉઠ્યો... રાજકોટમાં પણ દિવડા- મીણબત્તીની રોશની

રામપીર ચોકડી ઓમ પેટ્રોલ પંપની બહાર મીણબત્તીઓ પ્રગટાવી અંગ્રેજીમાં મોદી લખી વડાપ્રધાનની અપીલને કર્યું સમર્થન

રાજકોટ : કોરોના સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. ગઈકાલે ૫ એપ્રિલની રાત્રીના ૯ વાગ્યે ૯ મિનિટ દેશભરના લોકોએ પોતપોતાના ઘરમાં દિવળાઓની રોશની કરી હતી. દરમિયાન રાજકોટ શહેર પણ દિવડા, અગરબત્તીથી ઝળહળી ઉઠ્યુ હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાના નિવાસસ્થાને દિવડા કર્યા હતા. જયારે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ પણ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને દિવડા કર્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:50 am IST)