Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પદાધિકારીશ્રીઓ સાથે નિયુકત મ્યુનિસીપલ કમિશનર ઉદિત અગ્રવાલની શુભેચ્છા મુલાકાત

રાજકોટ : મહાનગરપાલિકામાં મ્યુનિસીપલ કમિશનર તરીકે ઉદિત અગ્રવાલ નિયુકત થયેલ છે. તેઓએ ગઇકાલે ચાર્જ સાંભાળ્યા બાજ આજે મેયરશ્રીની ચેમ્બરમાં પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાતે આવેલ હતાં. આ શુભેચ્છા મુલાકાત વખતે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઇ પરમાર વિગેરેએ મ્યુનિસીપલ કમિશનરશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત સાથે આવકારેલ હતા અને શહેરના વિકાસ કામો વિગેરેની ઔપચારિક ચર્ચા કરવામાં આવેલ હોય તે વખતની તસ્વીર.

(4:14 pm IST)