Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અંધજન સર્વોદય મંડળના અંધજનોને સદગુરૂ ભોજન રૂપી મહાપ્રસાદ

રાજકોટઃ પૂ. શ્રી રણછોડદાસજી બાપુશ્રીનાં જીવન સંદેશ 'માનવ સેવા એજ પ્રભુ સેવા'ને ચરીતાર્થ કરી પૂ. શ્રી રણછોડદાસબાપુ આશ્રમ સદગુરૂ સદન ટ્રસ્ટ તથા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા રવિવારે ગુજરાત અંધજન સર્વોદય મંડળના ગુજરાતભરમાંથી અંધજનોને તેડાવી શ્રી સદગુરૂ મહાપ્રસાદ રૂપી ભોજન પીરસવામાં આવ્યું હતું. સવારે ચા-નાસ્તા તથા બપોરે મહાપ્રસાદ રૂપી ભોજન જેમાં પુરી શાક દાળ ભાત ભજીયા તથા ડ્રાઇફુટ વાળો શીરો આપવામાં આવ્યો તથા રાત્રે પરોઠા શાક પીરસવામાં આવ્યા. આમ ગુરૂદેવને પ્રિય એવા અંધજનોની સેવા કરવામાં આવી હતી. આ સેવામાં અનિરૂધ્ધસિંહ ઝાલા, નિલેષભાઇ નિમાવત (મુન્નાભાઇ), જયવંતભાઇ વ્યાસ તથા અન્ય સ્ટાફ ભાઇ-બહેનો તથા ગુરૂભાઇ-બહેનોએ સેવા પુરી પાડી હતી.

(4:12 pm IST)