Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા રકતદાન કેમ્‍પ

કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા  છેલ્લા ૪૯ વર્ષથી ચાલી રહેલ સેવા પ્રવૃત્તિઓના ભાગરૂપે મંડળના સ્‍વ. સંજયભાઇ પરસાણાના સ્‍મરણાર્થે કિશોરસિંહજી શાળા નં. ૧ ખાતે રકતદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ૨૧૧ લોકોએ રકતદાન કરેલ. તમામ રકતદાતાઓને સર્ટીફીકેટ તેમજ ગીફટ અપાઇ હતી. ગીરીશભાઇ પરસાણા દ્વારા મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.ી કાર્યક્રમનું દીપ પ્રાગટય ડો. જી. યુ. મહેતા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, ન.પ્રા.શિ.સમિતિના પૂર્વ ચેરમેન નરેન્‍દ્રસિંહ ઠાકુર, ચેરમેન અતુલભાઇ પંડીત, સ્‍વ. ચીમનભાઇ શુકલ ટ્રસ્‍ટના કશ્‍યપભાઇ શુકલ, માનવ જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી નેહલભાઇ શુકલ, વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર દેવાંગભાઇ, કોર્પોરેટર વર્ષાબેન પાંભી, એ.વી.પી.ટી.ના એ. એસ. પંડયા, દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્‍ટી મુકેશભાઇ દોશી, ઘનશ્‍યામભાઇ પરસાણાની ઉપસ્‍થિતીમાં કરવામાં આવેલ. સમગ્ર કેમ્‍પને સફળ બનાવવા સર્વશ્રી નિરવભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ કિશોરભાઇ પરસાણા, નિલેશભાઇ વોરા, યશવંતભાઇ પાટડીયા, રાજુભાઇ મહેતા, વિશાલભાઇ જાદવ, વિપુલભાઇ પરસાણા, રમેશભાઇ દોમડીયા, ભરતભાઇ રૂપારેલ, ઉમેશભાઇ જે. પી., હેમભાઇ ચૌહાણ, ભાવેશભાઇ રાધનપુરા, સુબોધભાઇ રાધનપુરા, ભાવિનભાઇ મહેતા, તુષારભાઇ પરસાણા, ભરતભાઇ મહેતા, ભાવેશભાઇ જીવરાજાની વગેરેએ જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ ભરતભાઇ ત્રિવેદીએ કરી હતી.

(3:11 pm IST)