Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગોંડલમાં બ્રાહ્મણ બંધુ પર હુમલો : સામાપક્ષે પણ ક્ષત્રિય યુવાનને માર માર્યાની ફરિયાદ

ગોંડલ તા. ૧ : ગોંડલમાં જુની અદાવતનો ખાર રાખી બ્રાહ્મણ બંધુ પર ગરાસિયા જુથેે હુમલો કરી મારમાર્યો હતો. સામાપક્ષે ગરાસિયા યુવાનને માર્યાની ફરિયાદ થઇ છે.

ગોંડલમાં દિલીપ જેન્તિભાઈ પંડ્યા અને પ્રદીપસિંહ ચંદુભા જાડેજા વચ્ચે ત્રણ ખૂણીયે બોલા ચાલી થતા પ્રદીપસિંહે દિલીપ જેન્તિભાઈ પંડ્યાને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત દિલીપ ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ ત્યારે (૧)ટીનુભા મહેન્દ્રસિંહ ઝાલા (૨)ટીનુભાના સાળા કુમારભાઈ (૩) ટ્વીનકલસિંહ(સેમળા વાળા) સહીત ના આશરે ૧૫ થી ૨૦ જેટલા લોકોનું ટોળુ ટીનુભા ઝાલાની ૫૫ નંબરની સફેદ કલરની સ્કોર્પિયો ગાડી તેમજ બીજા અન્ય વાહનો મા ગોંડલ સરકારી હોસ્પિટલમાં ઘસી જઇ દિલીપ અને તેના ભાઈ ધર્મેશને મારમાર્યો હતો. બંનેને ઇજા થતાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ માં ખસેડેલ છે.

સામાપક્ષે પ્રદિપસિંહ ચંદુભા જાડેજાએ દિલીપ જેન્તી પંડયા તથા ધર્મેશ જેન્તી પંડયા સામે મારમારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ગોંડલ પોલિસે તપાસ હાથ ધરી છે.(૨૧.૨૦)

(3:57 pm IST)