Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગાયત્રીબા વાઘેલા ગરીબોની વ્હારેઃ વોર્ડનં.૩ના વિવિધ વિસ્તારમાં ફરસાણનું વિતરણ

રાજકોટ : પવિત્ર શ્રાવણમાસમાં જન્માષ્ટમીનાં તહેવારો નિમિતે પાંચમ અને છઠ બે દિવસ સુધી વોર્ડ નં. ૩ના કોર્પોરેટર શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા અને શ્રી મેલડી માતાજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોપટપરા મેઇન રોડ ઉપર આવેલ રામદેવપીર વાળી શેરીમાં રાહતદરે ફરસાણ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તીખા ગાંઠીયા, શક્કરપારા તેમજ હૈદરાબાદી ચવાણું, લોકોને રાહતદરે આપવામાં આવ્યું હતું. જેનો ૧૦૦૦(એક હજાર) પરિવારોએ લાભ લીધો હતો. તેમજ રાંધણ છઠ્ઠના દિવસે પોપટપરાના જરૂરીયાતમંદ પરિવારો તેમજ વોર્ડનં.૩ના જુદા-જુદા વિસ્તારો સંતોષીનગર રૂખડીયાપરા, નરસંગપરા, તિલક પ્લોટ જેવા સ્લમ વિસ્તારોમાં તેમજ આંગણવાડીના  બાળકો સહિત ૧૦૦૦ પરિવારોને વિનામુલ્યે ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા તેમજ શ્રી મેલડી માતાજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ અશોકસિંહ વાઘેલાની  આગેવાનીમાં યુવા ટીમનાં સભ્યો શ્રી શૈલેષભાઇ દલવાડીયા, વિજયભાઇ (ડેરી ફ્રેશ આઇસ્ક્રીમ) અશોકભાઇ મકવાણા, સતીષભાઇ બોહકિયા, સુનીભાઇ ભાડેસીયા, અશોકભાઇ સવાસડીયા, ભાવનાબેન કલોલા, કિરણબેન કેશરિયા, દવેભાઇ (મહર્ષિ અરવિંદ ટાઉનશીપ), એડવોકેટ જલુ, સહદેવસિંહ વાઘેલા, મિલનભાઇ પરમાર, દેવજીભાઇ રાઠોડ, લક્ષ્મણભાઇ સોલંકી, નરેન્દ્રભાઇ જેઠવા, શિલ્પાબેન, ઉષાબેન દવે, લાલાભાઇ બારૈયા, રાયધનભાઇ ભુરાભાઇ, સુરેશભાઇ વકાતર, ખેમચંદ ભાઇ, આઇ.કે. શેખ, બલદેવસિંહ ગોહિલ, હિનાબા ગોહિલ, ગોૈરવભાઇ પુજારા, કોર્પો. દિલીપભાઇ આસવાણી, ગીતાબેન પુરબિયા, વિગેરેએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.(૧.૧૯)

 

(3:41 pm IST)