Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

નાની બચત મામલતદારની જગ્યાઓ રદ્દઃ ૧૮-નગરપાલીકામાં હવે સીટી મામલતદારોઃ કુલ ર૧ ના મોડી રાત્રે ઓર્ડરો

રાજકોટના બગસરીયા અમરેલીમાઃ સુરેન્દ્રનગર-મોરબી-જુનાગઢ-બોટાદમાં પણ નીમણુંકો...

રાજકોટ તા. ૧: મામલદતાર અને કૃષિપંચની જગ્યાની કામગીરી જે તે વિસ્તારના તાલુકા મામલતદારને સોંપવા, મામલતદાર (નાની બચત) ની જગ્યાઓ રદ કરી તેની સામે ૧૮ નગરપાલિકા વિસ્તારો માટે નવી સીટી મામલતદારની જગ્યાઓ ઉભી કરાઇ છે તેમજ મામલતદાર (મ્યુનીસીપાલીટી) ની જગ્યાઓ રદ કરવામાં આવેલ હોય નિયુકત સીધી ભરતી દ્વારા ર૧ મામલતદારોના ઓર્ડરો ગત મોડી રાત્રે જાહેર કરાયા છ.ે

આ ઓર્ડરોમાં જુનાગઢના જે.આર. ગોહેલ ગીરસોમનાથ, રાજકોટના ડી. એમ. બગસરીયા-અમરેલી, સુરેન્દ્રનગરના એ.બી.જાદવ-સુરેન્દ્રનગરમાં, ગાંધીનગરના એન.બી. રાઠોડ, મોરબી કલેકટર કચેરીમાં, મહેસાણાના એચ.વી.પટેલ, બોટાદ જુનાગઢ વી.એચ. બીરહટ દેવભુમીદ્વારકા, સહિત કુલ ર૧ના ઓર્ડર થયાનું ઉમેરાયું હતું.(૬.૮)

(12:02 pm IST)