Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અવધ રોડ આંબેડકરનગરમાં ૨૫ વર્ષના જયદિપ રાઠોડે ફાંસો ખાઇ જીવ દીધો

૨૫ વર્ષિય યુવાન ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતોઃ બનેવી જગાડવા માટે ઉપરના રૂમમાં ગયા ત્યારે લટકતો મળ્યોઃ આત્મહત્યાનું કરવાનું કારણ અકળ

રાજકોટ તા. ૧: આત્મહત્યાની વધુ એક ઘટનામાં કાલાવડ રોડ અવધ રોડ પાસે આંબેડકરનગરમાં રહેતાં જયદિપ મુકેશભાઇ રાઠોડ (વણકર સાધુ) (ઉ.વ.૨૫) નામના યુવાને ઉપરના રૂમમાં પંખા સાથે દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં હેડકોન્સ. અજયસિંહ ચુડાસમા અને બ્રિજરાજસિંહ વાળાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જયદિપ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. ગઇકાલે તેના માતા-પિતા કામ સબબ કેશોદ ગયા હતાં. તે ઉપરના રૂમમાં સુવા માટે ગયો હતો. નીચેના માળે રહેતાં બનેવી સાંજે તેને જગાડવા ગયા ત્યારે દરવાજો બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં તોડીને જોતાં તે લટકતો મળ્યો હતો. ૧૦૮ના ઇએમટીએ નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાતનું કોઇ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:14 pm IST)