-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Saturday, 6th July 2019
બેનસલેમ (ફિલાડેલ્ફિઆ)ના આંગણે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી તથા લાલજી શ્રી સૌરભ પ્રસાદજીની પધરામણીઃ શોભાયાત્રા,સત્સંગ,અન્નકૂટ સહિતના આયોજનો કરાયા
ફિલાડેલ્ફિઆઃ ઇન્ટરનેશનલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ (ISSSV) દ્વારા ૨૯ જુન ૨૦૧૯ના રોજ બેનસલેમ (ફિલાડેલ્ફીઆ)ના આંગણે પ.પૂ. ધ.ધૂ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ શ્રી લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ દિવ્ય સત્સંગ સભામાં મહારાજશ્રી તથા લાલજી મહારાજશ્રીની દિવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ૩૫૦ થી ૪૦૦ જેટલા હરિભકતો જોડાયા હતા.
આ દિવસે એકાદશી હોવાથી ફરાળી અન્નકૂટનું આયોજન કરાયું હતું. જેમાં હરિભકતો પોતપોતાના ઘેરથી ફરાળી વાનગીઓ બનાવીને લાવ્યા હતા.
સત્સંગ સભામાં વડતાલ ધામ ન્યુજર્સીથી પધારેલા સંતોએ હકિભકતોને કથા-કિર્તનનો લાભ આપ્યો હતો. તેવું શ્રી વિકાસ પટેલની યાદી જણાવે છે.
(7:37 pm IST)