-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ USA ન્યૂજર્સીના ઉપક્રમે આવતીકાલ 7 જુલાઈ 2019 રવિવારના રોજ " રથયાત્રા મહોત્સવ " : સ્પેશિઅલ ગેસ્ટ તરીકે ભારતીય દૂતાવાસ ખાતેના યોગાચાર્ય ડો. દયાશંકર વિદ્યાલંકાર હાજરી આપશે
દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ USA ,205 ,સ્પ્રીંગવેલી રોડ ,પરામસ ,ન્યૂજર્સીના ઉપક્રમે આગામી 7 જુલાઈ 2019 રવિવારના રોજ રથયાત્રા મહોત્સવ ઉજવાશે જેનો સમય બપોરે 4-30 થી સાંજે 7-30 વાગ્યા સુધીનો રહેશે જેમાં ગુરુમહારાજના આશીર્વાદ સાથે શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામી , તથા પૂજ્યશ્રી ધ્યેયસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજી ,બલભદ્રજી ,તથા સુભદ્રાજી ના શણગારેલા રથને ખેંચવાનો લહાવો મળશે
આ રથયાત્રામાં સ્પેશિઅલ ગેસ્ટ તરીકે ભારતીય દૂતાવાસ ખાતેના ઇન્ડિયન ક્લચર તથા યોગ માટેના આચાર્ય ડો.દયાશંકર વિદ્યાલંકાર હાજરી આપશે તેમણે વેદિક સાયન્સમાં પી.એચ.ડી.કરેલું છે.તેઓ આયુર્વેદ તથા મર્મા થેરાપીમાં નિષ્ણાંત ગણાય છે.તેમજ યોગથી થતા શારીરિક ઉપરાંત માનસિક ફાયદાઓ સમજાવે છે.
ગુરુકુળ મુકામે યોજાનારી રથયાત્રા અંતર્ગત બપોરે 4-45 કલાકે કીર્તન ભક્તિ ,સાંજે 5-30 કલાકે સત્સંગ ,સાંજે 6 વાગ્યે રથયાત્રા ,7 વાગ્યે પૂજન થાળ ,તથા સાંજે 7-30 કલાકે આરતી પ્રાર્થના બાદ રાત્રે 8 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.તમામ ભાવિકોને આ મહોત્સવનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.તેવું ગુરુકુળની યાદીમાં જણાવાયું છે.