Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાષ્ટ્રપતિ ભવનમાં ફોરકોર્ટમાં કાર્યક્રમ :મુખ્ય રસ્તેથી મેઈન બિલ્ડીંગ સુધી જવા માટે ખાસ માર્ગ બનાવાયો

રાષ્ટ્રપતિ ભવનના 'દાલ રાયસીન'માં મંગળવારે રાતથી જ નાશ્તા માટે વ્યવસ્થા

નવી દિલ્હી :લોકસભાની ચૂટણીંમાં પ્રચંડ બહુમત બાદ બીજીવાર વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીનો કાલે શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે શપથ ગ્રહણ કાર્યક્રમની રૂપરેખા 2014ની જેમ રાખવામાં આવી છે

  રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં કાર્યક્રમ થશે. જ્યારે મુખ્ય રસ્તેથી મુખ્ય બિલ્ડિંગ સુધી જવા માટે વિશેષ રસ્તો બનાવવામાં આવશે, જ્યાંથી મહેમાનો જઈ શકે. ચોથો અવસર છે જ્યારે દરબાર હૉલની જગ્યાએ ફોરકોર્ટમાં પીએમ શપથ ગ્રહણ કરશે

  સાંજે  સાત વાગ્યે શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ ભવન તરફથી મેહમાનો માટે ચા-નાશ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનના 'દાલ રાયસીન'માં મંગળવારે રાતથી નાશ્તા માટે પ્રબંધન શરૂ કરી દેવામાં આવ્યા છે.

(10:23 pm IST)