Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

નવી સરકારમાં મંત્રી નહિ બનાવવા અરુણ જેટલીએ વિનંતી કરી : મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હી ;આવતીકાલે નરેન્દ્રભાઈ  મોદી વડા પ્રધાન તરીકે બીજી વખત શપથ લશે, ત્યારે તેમની સાથે પ્રધાનમંડળના અન્ય સભ્યો પણ શપથ લેશે.

આ પહેલાં ગત સરકારમાં નાણામંત્રી અરૂણ જેટલીએ પત્ર લખીને નિયુક્ત વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આગ્રહ કર્યો છે કે તેમને કોઈ પદભાર સોંપવામાં ન આવે.આ સાથે જેટલીએ સરકાર તથા પક્ષમાં અલગ અલગ જવાબદારી સોંપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અગાઉ માર્ચ-2019માં નાદુરસ્ત તબિયતને કારણે જેટલી વચગાળાનું બજેટ રજૂ કરી શક્યા ન હતા અને તેમના સ્થાને રેલવે પ્રધાન પીયુષ ગોયલે આ જવાબદારી નિભાવી હતી.

(2:21 pm IST)