Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જિંદગી પોતાના દમ ઉપર જીવાય છે બીજાના ખભ્ભા પર જનાજો નિકળે છે :સિદ્ધુના ટ્વીટથી રાજકારણમાં ગરમાવો

ત્રણ ફોટા પોસ્ટ કર્યા, જેમા તે તરબૂચ ખરીદી રહ્યા હતા અને પૂછી રહ્યા હતા કે ક્યું લેવું

 

નવી દિલ્હી ;ભાજપમાથી કોંગ્રેસમાં જોડાયેલ અને વિવાદોમાં ઘેરાયેલા નવજોતસિંહ સિદ્ધુ ફરી એકવાર સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે. પહેલા તેમણે એક ટ્વીટ કર્યું. બાદમાં તરબૂચની ખરીદી કરતો ફોટો પોસ્ટ કર્યો. સિદ્ધુએ ટ્વીટ કર્યું જિંદગી પોતાના દમ ઉપર જીવાય છે બીજાના ખભ્ભા પર તો જનાજો નિકળે છે.

      સિદ્ધુએ ફેસબુક ઉપર ત્રણ ફોટા પોસ્ટ કર્યા, જેમા તે તરબૂચ ખરીદી રહ્યા હતા અને પૂછી રહ્યા હતા કે ક્યું લેવું. મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સિદ્ધુ ગાયબ હતા. તો બીજી તરફ સીએમ અમરિંદરસિંહ અને તેમના મંત્રિયોએ થોડા દિવસો પહેલા સિંદ્ધુ ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા. કેપ્ટને બઠિંડાની હાર માટે સિદ્ધુને જવાબદાર ગણ્યો હતો.

     જવાબમાં સિદ્ધુની પત્નીએ કહ્યું કે, જો સિદ્ધુ ત્યા જાત તો તે ઉમેદવારની વધારે મતોથી હાર થાત. વચ્ચે અટકળો વહેતી થઈ હતી કે સીએમ અમરિંદર અને સિદ્ધુ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી ગયા છે. પરંતુ દિેલ્હીમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે આની સંભાવના હવે નથી દેખાતી.

 

(12:00 am IST)