Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અમારું સૂર્યયાન સલામતપણે ઉતરાણ કરી ગયુ : આગામી સમયમાં દિલ્હીમાં ઉતરશે: સંજય રાઉતનો ગર્ભિત ઈશારો

મેં હમણાં જ સમુદ્ર પાર કર્યો છે, હજી તો આખું આકાશ બાકી છે.

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપ સામે 50-50 ફોર્મ્યુલા અંગે શિવસેનાની શરતો વચ્ચે સંજય રાઉત હંમેશા આક્રમક રૂપમાં જોવા મળ્યા હતા. ક્યારેક ટ્વિટર પર શાયરી દ્વારા તો ક્યારેક ચહેરાનાં તંત્રીલેખ દ્વારા તેમણે ભાજપ ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો

 આ સમયગાળા દરમિયાન સંજય રાઉતની કવિતા ચર્ચાનો વિષય બની હતી. વળી મહારાષ્ટ્રનાં રાજકીય વિકાસ પર સંજય રાઉતે કહ્યું, 'મેં કહ્યું હતું કે અમારું સૂર્યયાન મંત્રાલયનાં છઠ્ઠા માળે ઉતરશે, ત્યારે દરેક હસી રહ્યા હતા, પરંતુ અમારું સૂર્યયાન સલામત ઉતરાણ કરી ગયુ. જો આ સૂર્યાયાન આગામી સમયમાં દિલ્હીમાં ઉતરશે તો તમને આશ્ચર્ય નહીં થાય.

   બુધવારે ધારાસભ્યોનાં શપથ ગ્રહણ વચ્ચે શિવસેના રાજ્યસભાનાં સાંસદ સંજય રાઉતે ટ્વિટ કર્યું હતું કે 'આ બાજની ખરી ઉડાન હજુ બાકી છે, હજુ તો આ પક્ષીની કસોટી બાકી છે.' મેં હમણાં જ સમુદ્ર પાર કર્યો છે, હજી તો આખું આકાશ બાકી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદથી જ સંજય રાઉત દાવો કરી રહ્યા હતા કે મુખ્યમંત્રી શિવસેનાનો જ બનશે.

(1:38 pm IST)