Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાજ્યપાલની સામે શિવસેના,એનસીપી અને કોંગ્રેસ ધારાસભ્યોની પરેડ કરાવવાની તૈયારીમાં ગુંથાયા

શરદ પવારે ઉદ્ધવ ઠાકરે અને અહેમદ પટેલ અને અશોક ચૌહાણ સાથે વાતચીત કરી

  મુંબઈ : એનસીપી નેતા શરદ પવાર સાથે બેઠક બાદ NCPના ધારાસભ્યોને બસથી એક સાથે રવાના કરી દેવાયા છે. પાર્ટીના સૂત્રો અનુસાર તમામ ધારાસભ્યોને હોટલ રેની સેંસ શિફ્ટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ રાજકીય જંગ છેડાઇ છે. હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ત્રણેય દળ રાજ્યપાલના દિલ્હીથી પરત ફર્યા બાદ તેમની સામે ધારાસભ્યોની પરેડ કરાવવાની તૈયારીમાં છે.

એનસીપી સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને અશોક ચૌહાણ સાથે અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. પવારે આ નેતાઓને કહ્યું કે બધુ કંટ્રોલમાં છે.

(11:08 pm IST)