Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

FPI દ્વારા સપ્ટેમ્બરમાં કુલ ૪૧૯૩ કરોડ પાછા ખેંચાયા

મોટા રાહતના પગલા બાદ લેવાલી રહે તેવા સંકેત : કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકાનો ઘટાડો થયા બાદ તેજી

નવીદિલ્હી, તા.૨૨ : વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૧૯૩ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. જો કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા ફિસ્કલ રાહતના પગલા બાદ તેજીનો માહોલ હવે જોવા મળે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર શુક્રવારના દિવસે કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે વધારવામાં આવેલા ટેક્સ સરચાર્જને એફપીઆઈના હાથે ડેરિવેટિવ્સ સહિત કોઇપણ સિક્યુરિટીના વેચાણથી ઉભી થનારા માર્કેટ મૂડી લાભ પર લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રીની આ જાહેરાત બાદ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સપ્ટેમ્બર મહિનામાં ત્રીજીથી લઇને ૨૦મી સુધી એફપીઆઈએ ઇક્વિટીમાંથી ૫૫૭૭.૯૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ સેગ્મેન્ટમાં ૧૩૮૪.૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આ પહેલા એફપીઆઈએ ઓગસ્ટ મહિનામાં ૫૯૨૦.૦૨ કરોડ પાછા ખેંચી લીધા હતા. મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

                  વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.  કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો. જુલાઇ આઇઆઇપીના આંકડા જારી કરવામાં આવ્યા બાદ આનો આંકડો ૪.૩ ટકા સુધીનો રહ્યો  છે.

FPI દ્વારા વેચવાલી....

*   વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બરમાં ૪૧૯૩ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

*   ત્રીજીથી ૨૦મી સપ્ટેમ્બર દરમિયાન ઇક્વિટીમાંથી ૫૫૭૭.૯૯ કરોડ પાછા ખેંચાયા જ્યારે ડેબ્ટમાં ૧૩૮૪.૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા

*   મૂડીરોકાણકારો ફરી એકવાર વેચવાલીના મૂડમાં આવ્યા

*   કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકાના ઘટાડા અને વધારાયેલા ટેક્સ સરચાર્જને કેપિટલ ગેઇન પર લાગૂ નહીં કરવા નિર્ણયની અસર હવે દેખાશે

*   બજારમાં સ્થિતિમાં હવે સુધારો થઇ શકે છે

*   મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૯૦૩૧ કરોડ ઠાલવ્યા

*   એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*   ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

*   ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૨૨ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:00 pm IST)