Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પુલવામામાં સેનાની ગાડી પર IED બ્લાસ્ટ:44 રાજપુતાના રાઇફલ્સને નિશાન બનાવી હુમલો : 5 જવાન ઘાયલ એક આતંકી ઠાર

ઇદગાહ અરિહલ વિસ્તારમાં સેનાની ગાડી ઉપર આતંકવાદી હુમલો: સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ ચાલું

જમ્મુ કાશ્મીરના પુલવામાના ઇદગાહ અરિહલ વિસ્તારમાં સેનાની ગાડી ઉપર આતંકવાદી હુમલો થયો છે.અહેવાલ મુજબ આતંકવાદીઓએ સુરક્ષાબળોની ગાડી પર IED બ્લાસ્ટ કર્યો છે. જેના કારણે કૈસ્પર વાહન ક્ષતિગ્રસ્ત થયું છે. ઘટનાસ્થળ ઉપર સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ ચાલું છે.

આ હુમલામાં 5 જવાનો ઈજાગ્રસ્ત હોવાના સમાચાર છે. સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ હુમલો સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર કરવામાં આવ્યો છે. આતંકીઓએ 44 રાજપૂતાના રાઇફલને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી.

(7:45 pm IST)