Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પૂંછમાં પાકે ફરી કર્યુ સીઝફાયર ઉલ્લંઘન, ૧ જવાન અને ૧ નાબાલિગ સહિત ૪ ઈજાગ્રસ્ત

સુરક્ષાદળોને આ ક્ષેત્રમાં ૨થી ૩ આતંકીઓ સંતાયા હોવાની આશંકા છેઃ ગોળીઓનો અવાજ આવતા સુરક્ષાદળ સર્તક થયા

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (ન્ંઘ્) પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કરતા કરવામાં આવેલી ગોળીબારીમાં રવિવારે ૩ લોકો ઘાયલ થઈ ગયા. સોમવારે પણ ચાલુ રહેલા આ સીઝફાયર ઉલ્લંઘનમાં ૧ ભારતીય જવાન પણ ઘાયલ થયો છે. આ જાણકારી પોલીસે આપી છે. પાકિસ્તાન તરફથી પુંછના કિરની, કાસ્બા, બંડિ ચેચિયન વિસ્તારમાં કરવામાં આવેલી ગોળીબારીમાં દ્યાયલ થયેલા ૩ લોકોમાં ૨ છોકરીઓ સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, જયાં ડોકટરોએ તેમની હાલત સ્થિર હોવાની માહિતી આપી હતી.

રક્ષા મંત્રાલયના પ્રવકતા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના દ્વારા કારણ વિના ભારતીય કેમ્પો પર ગોળીબારી કર્યા બાદ ભારત અને પાકિસ્તાની જવાનોની વચ્ચે ગોળીબારી શરૂ થઈ. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ પુંછના કિરની, કાસ્બા અને મેંધર વિસ્તારમાં સ્થિત ભારતીય કેમ્પોને નિશાનો બનાવ્યા હતા, જેનો ભારત તરફથી પ્રભાવીરીતે જવાબ આપવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે સવારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરક્ષા દળ દક્ષિણી કાશ્મીરમાં અનંતનાગના અચબલ સ્થિત બાદૂરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર નીકળ્યા હતા. આ દરમિયાન ગોળીઓનો અવાજ આવતા સુરક્ષાદળ સર્તક થઈ ગયા. ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. સુરક્ષાદળોને આ ક્ષેત્રમાં ૨થી ૩ આતંકીઓ સંતાયા હોવાની આશંકા છે.

(3:43 pm IST)