Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વાયુ વાવાઝોડાની દરિયાકિનારે અસરઃ માંડવી દરિયામાં કરંટઃ પ્રવાસીઓ પર પ્રતિબંધ

અમદાવાદ તા.૧૭: વાયુ વાવાઝોડાની કચ્‍છના દરિયા કિનારે અસર જોવા મળી છે. માંડવીના દરિયામાં કરંટ જોવા મળ્‍યો હતો હતો. હાલમાં માંડવી બીચ પર પ્રવાસીઓ પર પ્રતિંબધ મુકવામાં આવ્‍યો છે. કોઇપણ પ્રવાસીઓને માંડવીના દરિયા કિનારે પ્રવેશ આપવામાં આવશે નહી.

વાયુ વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. કચ્‍છમાં ત્રણ એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવેલી છે. માંડવી, નલિયા અને કંડલામાં એનડીઆરએફ ટિમ સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવી છે.

(11:20 am IST)