Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ :વિપક્ષ નેતા પરેશ ધાનાણીના દિલ્હી દરબારમાં ધામા: લીગલ ટીમ સાથે ચર્ચા

ધાનાણી સહિત અન્ય કોંગી નેતાઓના દિલ્હીમા: લીગલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ પોતાની આગામી રણનીતિ નક્કિ કરશે

નવી દિલ્હી :રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ  ગરમાયું છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે આગામી પાંચમી જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી તો એકજ દિવસે યોજાશે. પરંતુ બંને બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા અલગ અલગ યોજાશે. અને આથી જ બંને બેઠકોના ઉમેદવારોના અલગ અલગ મતપત્રક હશે. અલગ અલગ મતપત્રક દ્વારા ચૂંટણી પ્રક્રિયા યોજાય તો કોંગ્રેસને ફાળે એક પણ બેઠક નહી જાય. આમ ભાજપ આસાનીથી બંને બેઠકો જીતી શકશે. જેને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત અન્ય કોંગી નેતાઓના દિલ્હીમા ધામા નાખ્યા છે. બન્ને ઉમેદવારોના માટે અલગ અલગ મતદાન સામે કોંગ્રેસને વિરોધ છે. લીગલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ પોતાની આગામી રણનીતિ નક્કિ કરશે.

 ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યના સંખ્યાબળને જોતા એક જ મતપત્રક નો ઉપયોગ થાય તો એક બેઠક કોંગ્રેસને ફાળે જઈ શકે છે..પણ જો અલગ અલગ મતપત્રક હોય તો ભાજપ પાસે 100 ધારાસભ્યોની સંખ્યા છે. બંને ઉમેદવારોને મતપત્રક પર એકડો મત આપી બંને બેઠકો સરળતાથી જીતી શકાય છે.

 કેન્દ્રના જાહેરનામામાં પણ તે વાતનો ઉલ્લેખ કરાયો છે કે, પેટાચૂંટણીનો કાર્યક્રમ યથાવત રહેશે પણ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકને અલગ અલગ ગણાશે. અલગથી જાહેરનામુ બહાર પાડવામાં આવશે.અલગ અલગ જાહેરનામાં અને મતપત્રક પાછળ ચૂંટણી પંચે હાઈકોર્ટે ચુકાદાને ટાંક્યો છે

(12:28 am IST)