Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

માસ્ક, સેનીટાઈઝર્સ, પીપીઈ કીટ અને વેન્ટીલેટર્સને જીએસટીમાંથી મુકિતની માંગ

એઆઈઓસીડીના પ્રમુખ જે.એસ. શીંદેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા નાણામંત્રી નિર્મલા સિતારામનને પત્ર પાઠવ્યો

સમગ્ર ભારતમાં ૮.૫૦ લાખ મેમ્બર્સ ધરાવતા ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસના પ્રમુખ જે.એસ. શીંદે અને જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા નાણામંત્રીશ્રી નિર્મલા સિતારામનને એક પત્ર પાઠવી કોરોના (કોવીડ-૧૯) મહામારીમાં અનિવાર્ય જરૂરીયાત ગણાતા માસ્ક સેનીટાઈઝર્સ, પીપીઈ (પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ) કીટ, વેન્ટીલેટર્સ જેવી વસ્તુઓને તાત્કાલીક જીએસટીમાંથી મુકિત આપવા માંગ કરી છે.

(10:13 am IST)