Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કુવૈતમાં દરજીકામ કરી પેટિયું રળતા ગુજરાતના સંતરામપુર ગામના યુવાનનો કોરોના વાયરસે ભોગ લીધો

કુવૈત : છેલ્લા થોડા વર્ષોથી કુવૈત ગયેલા તથા દરજીકામ કરતા ગુજરાતના સંતરામપુર ગામના યુવાન વિનય ચૌહાણનું કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વિનય તથા તેનો ભાઈ રાજેશ ચૌહાણ બંને કુવૈતમાં સ્થાયી થયા હતા.જ્યાં તેઓ દરજીકામ કરી પેટિયું રળતા હતા.આ બંને ભાઈ પૈકી વિનયનો કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો.જેનું અવસાન થયું હોવાના સમાચાર સંતરામપુર રહેતી તેમની બહેન કંચંબેનને મળતા તેઓ દુઃખથી પડી ભાંગ્યા હતા અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:03 pm IST)