Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

આર્થિક મંદીની વચ્ચે વ્યાજ દર વધુ ઘટાડવાનો તખ્તો ગોઠવાયો

વ્યાજદરમાં કુલ ૧૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો : ૩ ડિસેમ્બરથી આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક

મુંબઈ, તા. ૧ : રિઝર્વ બેંકની પોલિસી સમીક્ષાની બેઠક ત્રીજી ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. આ બેઠક નિર્ણાયક રહી શકે છે જેમાં બેઠકના અંતિમ દિવસે વ્યાજદરને લઇને નિર્ણય લેવામાં આવી શકે છે. આર્થિક સુસ્તી વચ્ચે રિઝર્વ બેંક રેટમાં વધુ કાપ મુકીને આગળ વધી શકે છે. આરબીઆઈ રેટમાં કાપ મુકવા ઇચ્છુક છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે. આ વર્ષે રિઝર્વ બેંકે પોલિસી રેટમાં ૧૩૫ પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો છે. વપરાશમાં મંદીને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. આરબીઆઈ દ્વારા નાણાંકીય પોલિસી સમીક્ષામાં કયા નિર્ણય લેવાશે તેને લઇને કોર્પોરેટ જગતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ વર્ષે પાંચ વખત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં કુલ ૧૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો છે.

              પોલિસી મેકર્સ માની રહ્યા છે કે, એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં તેજી લાવવા માટે હજુ ઘટાડો જરૂરી છે. ગયા સપ્તાહના નબળા ડેટાથી આ માનવા માટેનું કારણ કે, વ્યાજદરમાં હજુ ઘટાડો કરવામાં આવશે. આગામી બેઠકમાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે. વિકાસદર ઘટીને ૫.૬ ટકા સુધી પહોંચી ચુક્યો છે. આર્થિક મંદીની સાથે સાથે વૈશ્વિક માંગ પણ ઘટી રહી છે. રોકાણકારો રિપરચેઝ રેટને લઇને સટ્ટો લગાવી રહ્યા છે. રિપરચેઝ રેટ હાલમાં ૫.૧૫ ટકા છે. આગામી ૧૨ મહિનામાં તે ઘટીને ૫ ટકા રહી શકે છે. માર્ચના અંત સુધી તે ઘટીને ૫.૭૫ ટકા થઇ શકે છે. આગામી મહિનાઓમાં હાલ મંદી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.

(7:44 pm IST)