Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સિંગર વિશાલે હાથ જોડીને-કાન પકડીને માંગવી પડી હતી તરુણ સાગરજી મહારાજની માફી

 

મુંબઈ :જૈન મુનિ તરુણ સાગર સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરવાને કારણે અનેકવાર ચર્ચાનો વિષય રહ્યા હતા. તરુણ સાગરજી અને સિંગર વિશાલ ડડલાની વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો હતો. વિશાલે હરિયાણા વિધાનસભામાં જૈન મુનિના પ્રવચન પર વિવાદાસ્પદ ટ્વિટ કરી હતી. 21 સપ્ટેમ્બર 2016ના રોજ વિશાલ તરુણ સાગર પાસે ગયો હતો. હાથ જોડીને, કાન પકડીને માફી માંગી હતી.

(11:01 pm IST)