Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

દેશમાં કોરોનાના કેસનો આંકડો 6 લાખને પાર પહોંચ્યો : 17,786 લોકોના મોત થયા

કેસની સંખ્યા 6,02,033 થઇ :3,57,665 લોકો સ્વસ્થ્ય થયા

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 6 લાખને પાર પહોચી ગયો છે અત્યાર સુધી 17 હજાર 700થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6 લાખને પાર કરી ગઇ છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6,02,033 થઇ ગઇ છે જેમાંથી 3,57,665 લોકો સ્વસ્થ્ય થઇ ચુક્યા છે.અને 17,786 લોકોના મોત થઇ ચુક્યા છે. દેશમાં હજુ પણ 2,26,516 એક્ટિવ કેસ છે.

(10:25 pm IST)