Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ઉધ્ધવ ઠાકરેએ પંઢરપુર મંદિરની મુલાકાત લીધી : ધર્મપત્ની રશ્મિ સાથે પૂજા કરી : દેશને કોરોના સંક્રમણથી મુક્ત કરવા વિઠલનાથ ભગવાન અને રુક્મણી દેવીને પ્રાર્થના કરી

મુંબઈ : આજ અષાઢી અગિયારસ નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈથી 360 કિલોમીટર દૂર આવેલા પંઢરપુર મંદિરની મુલાકાત લીધી હતી.ધર્મપત્ની રશ્મિ સાથે વિઠ્ઠલનાથ ભગવાન તથા રુક્મણી દેવીની પૂજા કરી હતી.તથા દેશને કોરોના મહામારીથી મુક્ત કરાવવા પ્રાર્થના કરી હતી.
તેમણે વિઠ્ઠલનાથ ભગવાનને અરજ કરતા જણાવ્યું હતું કે અમારી પાસે આ મહામારીની કોઈ દવા નથી.અમે મોઢા ઉપર સાદું કપડું રાખી રક્ષણ મેળવવાની કોશિશ કરીએ છીએ.
ઉદ્ધવ ઠાકરેએ કરેલી પુજાવિધિનો વિડિઓ તેમના પુત્ર આદિત્ય ઠાકરે કે જેઓ પણ પિતાની મિનિસ્ટ્રીમાં શામેલ છે તેમણે સોશિઅલ મીડિયામાં વહેતો કર્યો હતો.

(7:51 pm IST)