Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

નવસારીના હાંસાપોર ગામના તળાવમાં ન્હાવા ગયેલા બે ડૂબ્યા :જલાલપોરના તરુણનું મોત

જલાલપોરના ગૌરીશંકર મોહલ્લામાં લગ્ન પતાવી તળાવમાં બે મિત્રો નાહવા ગયા હતા

નવસારીના જલાલપોરના ગૌરીશંકર મોહલ્લાના બે તરૂણ હાંસાપોર ગામે આવેલા તળાવમાં ગરમીના કારણે પાણીમાં ન્હાવા ગયેલા બે લોકો ડૂબ્યા હતા જેમાં  અભય જોશી નામનો તરૂણ નાહવા પડતા ડૂબી જતા મોત નીપજ્યું હતું જેની જાણકારી સાથે ગયેલા મિત્રેએ પરિવારને જાણ કરતા ડૂબી ગયેલા તરૂણને ગઈકાલની રાત્રી દરમ્યાન તળાવમાં મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી. જે મૃતદેહ સવારે મળી આવતા પરિવારની વિધવા મા પર આભ તૂટી પડ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી મૃતક તરૂણના મૃતદેહનું પી.એમ કરાવવાની તજવીજ શરૂ કરી હતી.

(12:18 pm IST)