Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જલાલપોરના મંદિર ગામે આડા સંબંધની શંકાએ પતિએ : કુહાડીના ઘા ઝીકી પત્નીની કરી કરપીણ હત્યા :અરેરાટી

આડાસંબંધની શંકાએ અવારનવાર થતા ઝઘડા જીવલેણ બન્યો

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મંદિર ગમે પતિએ આડા સંબંધની શંકાએ કુહાડીના ઘા ઝીકીને પત્નીની ક્રૂર હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે .

 આ અંગેની વિગત મુજબ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ મંદિર ગામના બંધીયા ફળિયામાં દંપતી રહેતા હતા પતિ મહેશ હળપતિને પત્ની પર આડાસંબંધની શંકાઓ ઉભી થઇ અને આ બાબતે અવાર નવાર ઝગડાઓ પણ ચાલતા આવ્યા હતા પરંતુ ઝગડાનું સ્વરૂપ દિન પ્રતિદિન વધતું જતું હતું. શંકાઓ વધતા રાત્રી દરમ્યાંન પત્ની ને કુહાડી અને ચપ્પુના ઘા મારીને આરોપી પતિએ પત્ની જયશ્રીબેન હળપતિને રહેશી નાખી હતું જેની જાણ જલાલપોર પોલીસેને થતા પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

(9:20 pm IST)