Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વડોદરામાં પત્ની-પુત્રથી અલગ રહેતા આધેડે જીવનથી કંટાળી ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા:પત્ની સાથે અણબનાવ થયા બાદ પત્ની અને પુત્રીથી અલગ રહેતા આધેડે એકલવાયા જીવનથી કંટાળીને ગઈ કાલે દિવસ દરમિયાન પોતાના ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. દિવસભર લાશ મકાનમાં લટકી રહ્યા બાદ બનાવની સાંજે જાણ થતાં માંજલપુર પોલીસે આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

માંજલપુર વિસ્તારના સીતાબાગ ગરબા મેદાન પાસે ઈન્કુ ફ્લેટમાં રહેતા ૫૦ વર્ષીય સુભાષભાઈ દિપચંદ તુલસીયાની ખાનગી કંપનીમાં સેલ્સ વિભાગમાં ફરજ બજાવતા હતા. થોડાક સમય અગાઉ તેમને પત્ની સાથે કોઈક કારણસર અણબનાવ થતાં તેમની પત્ની તેઓની પુત્રીને લઈને ન્યુવીઆઈપીરોડ પર પર ગુરુદ્વારા પાસે આવેલા સંવાદ ક્વાટર્સ વિસ્તારમાં રહેવા જતી હતી અને ત્યારથી સુભાષભાઈ અત્રે એકલવાયુ જીવન ગાળતા હતા

(5:51 pm IST)