Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

મોદી હૈ તો મુમકીન હૈનો નારો દોહરાવ્યો : મોડી સાંજે યોગી આદિત્યનાથ જાહેરસભા ખાતે પહોંચ્યા

અમદાવાદ, તા. ૨૬ : અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાને લઇને ભાજપ દ્વારા આક્રમક આયોજન કરવામાં આવ્યું હતું. પહેલાથી જ જોરદાર તૈયારી કરવામાં આવી હતી. આ સભામાં ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને અન્ય વરિષ્ઠ નેતાઓ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. યોગી આદિત્યનાથે સભાની શરૂઆતમાં જ ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિઓની વાત કરી હતી. સાથે સાથે મોદી હૈ તો મુમકીન હૈની વાત કરીને ફરીવાર ચર્ચા જગાવી હતી. સાથે સાથે ઉત્તરપ્રદેશના કુંભના સફળ આયોજનને લઇને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશ સરકારની પ્રશંસા કરી હતી. યોગી આદિત્યનાથની સભા હોવાથી તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો મોડી સાંજે પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથ ભાજપના સૌથી લોકપ્રિય સ્ટાર પ્રચારકો પૈકીના રહ્યા છે. દરેક મતવિસ્તારમાં તેમની સભાની માંગ રહેલી છે.

(8:29 pm IST)