Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યા નંદિતા સોનૌલી બોર્ડર થઇ નેપાળ પહોચી:મળ્યા મહત્વના પુરાવા

પોલીસે ઇમિગ્રેશન વિભાગ પાસે માહિતી માંગતા ચોંકાવનારા ખુલાસા

 

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે પોલીસ દ્વારા  ઇમિગ્રેશન વિભાગ પાસેથી મેળવેલ માહિતીમાં નિત્યા નંદિતા સોનૌલી બોર્ડર થઇ નેપાળ પહોચી હોવાનું બહાર આવ્યું છે

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે નિત્યાનંદિતા અને તેની બહેન લોપામુદ્રા એક પછી એક વીડિયો વાયરલ કરી રહ્યાં છે. જી તરફ નિત્યાનંદિતાનું લોકેશન મેળવવામાં ફાંફે ચઢેલ પોલીસને હાથે આજે વધુ એક હકીકત લાગી છે.

   નિત્યાનંદિતાએ વિદેશ ગઇ છે કે કેમ તેની હકીકત જાણવા માટે પોલીસએ ઇમીગ્રેશન વિભાગ  પાસે માહીતી માંગી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે 5મી નવેમ્બરએ નિત્યાનંદિતા બાય રોડ સોનૌલી બોર્ડરથી નેપાળ પહોચી છે.

(12:30 am IST)