Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

''વાયુ'' વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડોઃ સિવીયર સાયકલોનીક સ્ટોર્મમાંથી સાયકલોનિક સ્ટોરમમાં ફેરવાયું

અમદાવાદ તા.૧૭: વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્ચિમમાં ૪૮૦ કિમી દૂર છે. સોમવારે ૧૭ જૂને રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને કચ્છના દરિયાકિનારે ટકરાશે.

વાયુ વાવાઝોડું સિવીયર સાયકલોનીક સ્ટોર્મમાંથી સાયકલોનિક સ્ટોરમમાં ફેરવાયું છે. ૧૭ જૂનની મધરાત્રે આ વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે.

આગામી ૧૨ કલાકમાં સાયકલોન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવાઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં ૪૪૦ કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં ૫૮૦ કિલોમીટર દુર છે. વાયુ પ્રતિકલાક ૮ કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.

(3:12 pm IST)