અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 5000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 6 હજારને પાર પહોંચી હતી સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં 6690 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 2748 દર્દીઓ રિકવર થયા છે
રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે
મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે
રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 6690 કેસ નોંધાયા છે જયારે વધુ 2748 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 3,20,729 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 67 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4922 થયો છે છે રાજ્યમાં રિકવરી રેટ 89,04 ટકા થયો છે
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 22, રાજકોટ કોર્પોરેશનમાં 5 ,વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, બનાસકાંઠામાં 2, રાજકોટમાં 2, આણંદમાં 1,ભર્ક્યુહમાં 1, છોટા ઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 1, જૂનાગઢમાં 1, અને સાબરકાંઠામાં 1 મળીને કુલ 67 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 થયો છે
રાજ્યમાં હાલ 34,555 એક્ટિવ કેસ છે, જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34,334 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,20,729 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે
રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 84,04,128 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 11,61,722 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 95,65,850 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી
રાજ્યમાં આજે 60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે 1,57,510 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47,035 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 6690 કેસમાં અમદાવાદમાં 2282 કેસ,સુરતમાં 1441 કેસ, રાજકોટમાં 616 કેસ ,વડોદરામાં 377 કેસ, જામનગરમાં 302 કેસ, મહેસાણામાં 177 કેસ, બનાસકાંઠામાં 137 કેસ, ભાવનગરમાં 128 કેસ, જૂનાગઢમાં 113 કેસ,ગાંધીનગર અને પાટણમાં 110- 110 કેસ, અમરેલીમાં 98 કેસ, ભરૂચમાં 87 કેસ, આણંદમાં 68 કેસ, ગાંધીનગરમાં 106 કેસ, પાટણમાં 97 કેસ, બનાસકાંઠામાં 94 કેસ, જૂનાગઢમાં 87 કેસ,મોરબીમાં 65 કેસ, પંચમહાલમાં 61 કેસ,દાહોદ અને કચ્છમાં 58-58 કેસ, સુરેન્દ્રનગરમાં 55 કેસ,ખેડા અને સાબરકાંઠામાં 46-46 કેસ, નવસારીમાં 44 કેસ, મહીસાગરમાં 39 કેસ, વલસાડમાં 32 કેસ નોંધાયા છે