Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

બોરસદના વાલવોડમાં અગાઉના ઝઘડાની રીસ રાખી આધેડની કરપીણ હત્યાથી અરેરાટી

બોરસદ: તાલુકાના વાલવોડ ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી એક આધેડને કોદાળીથી માર મારતા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના વાલવોડ ગામમાં આવેલ મહાદેવવાળા ફળિયામાં રહેતા ભઈલાલભાઈ ધુળાભાઈ ઠાકોર (ઉ.વ. ૫૦)ખેતમજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બુધવારના રોજ સવારે ૧૧કલાકે ભઈલાલભાઈ વાલવોડના ઊંડા દરવાજા વિસ્તારમાં વાઘરીઓ જાંબુ રાખે છે તેઓને પૈસા આપવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતા હતા ત્યારે સાડા અગિયાર વાગ્યાના સુમારે જુની ભાગોળ ખાતે પ્રવિણભાઈ રાયસીંગભાઈ સોલંકી મળ્યા હતા જેમણે અગાઉની અદાવતને લઈને ઝઘડો કર્યો હતો અને ઢીંચણના ભાગે તેમજ બરડાના ભાગે કોદાળીની મુદર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. 

(5:49 pm IST)