Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 1125 કેસ નોંધાયા : વધુ 1352 દર્દીઓ સ્વસ્થ થયા:કુલ કેસનો આંક 1,83,844 થયો :કુલ 1,67,820 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 6 લોકોના મોત : મૃત્યુઆંક 3779 થયો

સૌથી વધુ સુરતમાં 183 કેસ, અમદાવાદમાં 201 કેસ, વડોદરામાં 130 કેસ, રાજકોટમાં 134 કેસ,મહેસાણામાં 70 કેસ ગાંધીનગરમાં 47 કેસ,બનાસકાંઠામાં 41 કેસ,પાટણમાં 38 કેસ, જામનગરમાં 34 કેસ, સાબરકાંઠામાં 23 કેસ,મોરબીમાં 22 કેસ સુરેન્દ્રનગરમાં 20 કેસ નોંધાયા :રાજ્યમાં હાલ 12,245 એક્ટિવ કેસ

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા બે દિવસથી  અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 1352 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1125 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 65 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3779 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,245 એક્ટિવ કેસ છે, જ્યારે 1,67,820 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,171 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,844 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1,સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા  1124 કેસમાં સૌથી વધુ સુરતમાં  183 કેસ, અમદાવાદમાં 201 કેસ, વડોદરામાં 130 કેસ, રાજકોટમાં  134 કેસ,મહેસાણામાં 70 કેસ ગાંધીનગરમાં 47 કેસ,બનાસકાંઠામાં 41 કેસ,પાટણમાં 38 કેસ, જામનગરમાં 34 કેસ, સાબરકાંઠામાં 23 કેસ,મોરબીમાં 22 કેસ સુરેન્દ્રનગરમાં 20 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં 52,973 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 66,25,876 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,28 ટકા થયો છે

(7:27 pm IST)