Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શરદ પૂનમે ૧૧૧૧૧ દિવડાની મહાઆરતી

અમદાવાદ, તા. ૧૧ : લક્ષચંડી મહાયજ્ઞના ચેરમેન બાબુભાઇ જે.પટેલ અને આંતરરાષ્ટ્રીય ઉમિયા ફેડરેશનના ચેરમેન સી.કે.પટેલે જણાવ્યું કે, લક્ષચંડી મહાયજ્ઞના ઉપલક્ષ્યમાં તેના પ્રચાર પ્રસારના હેતુસર શરદપૂનમના દિવસે તા.૧૩મી ઓકટોબરે ઉમિયા કેમ્પસ, ભાગવત વિદ્યાપીઠ પાછળ, સોલા ખાતે અમીન પી.જે.કે.પી.વિદ્યાર્થી ભવન પરિવારના સહયોગથી ભવ્ય રાસ ગરબા- માં નું તેડું નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજીની આરાધના ૧૧૧૧૧ દિવડાની મહાઆરતી દ્વારા કરવામાં આવશે. તો, વિઝન ૨૦-૨૦ પ્રોજેકટ અંતર્ગત ઓફ સીજી રોડ ખાતે અત્યાધુનિક, તમામ સુવિધા ધરાવતું અને ૨૦૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતાં પી.જે.કે.પી વિદ્યાર્થીભવન ૨૦૨૦ના અંત સુધીમાં નિર્માણ કરાશે. આ જ પ્રકારે ઉમિયા કેમ્પસ ખાતે હોસ્ટેલ, બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ સહિતનો કરોડોનો પ્રોજેકટ પણ સાકાર કરાશે.

(10:12 pm IST)