Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અમીરગઢ: રેવદર તાલુકાના અનાદરામાં ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા દુકાનમાં ઘુસી જતા ચાર વ્યક્તિ કાળનો કોળિયો બન્યા

અમીરગઢ:રાજસ્થાનના રેવદર તાલુકાના અનાદરામાં એક ટ્રેલર ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેલર દુકાનમાં ઘુસી જતાં ચાર વ્યક્તિઓના કરૃણ મોત થયા હતા. જ્યારે અગિયાર જણ જીંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે.

શિરોહી અને રેવદર રોડ પર આવેલા અનાદરા ગામ પાસેથી પસાર થતા હાઈવે રોડ પર જતા એક ટ્રેલરના ચાલકે અનાદરા ગામની સીમમાં ટ્રેલર પરનુ પોતાનું કાબુ ગુમાવતાં ટ્રેલર બેકાબૂ થઈજતાં રોડ સાઈડમાં આવેલ દુકાનમાં ઘુસી ગયેલ હતું. જ્યાં દુકાન પર વેપાર અર્થે ઉભેલા અને રસ્તા પરથી પસાર થતા લોકો ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ ચાર વ્યક્તિઓના કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે અગિયાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે શિરોહીના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવેલ છે. ટ્રેલર બેકાબૂ બનતાં લોકોમાં અફડાતફડી મચી ગયેલ હતી. અને રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા. અને વિરોધ પ્રદર્શન કરતા પરિસ્થિતિ વણસી હતી. કરૃમ ઘટનાની જાણ થતા શિરોહી જિલ્લા એસ.પી. કલ્યાણમલ મીણા તથા રેવદર ધારાસભ્ય જગસીરામ કોળી અનાદરા દોડી આવ્યા હતા. અંતે મૃતકોના પરિવારને સાંત્વના આપી વિફરેલા ટોળાઓને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કરૃણજનક ઘટનામાં અત્યારસુધી ચાર વ્યક્તિઓના મોતનો આંકડો મળેલ છે.

(5:26 pm IST)