Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

આણંદ નજીક વઘાસીમાં વિધવા ભાભીની કુટુંબના દિયરે ઘાતકી હત્યા કરતા ચકચાર

આણંદ:નજીક વઘાસી ખાતે ગતરોજ રાત્રિ દરમ્યાન વિધવા મહિલાની તેના જ કુટુંબના દિયર દ્વારા ઘાતકી હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર વઘાસી ગામે ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક વઘાસી ખાતે આવેલ રામદેવ ચોકમાં રહેતા રૂપાબેન ડાહ્યાભાઈ પરમાર (ઉં.વ.૪૦)ના પતિ રાજુભાઈ ડાહ્યાભાઈ પરમારનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું હતું. 

વિધવા રૂપાબેન પોતાના બે સંતાન સાથે પોતાનું ગુજરાન ચલાવતી હતી. રૂપાબેનના દિયર અલ્પેશ મનુભાઈ પરમારે ગતરોજ રાત્રિ દરમ્યાન રૂપાબેનના ઘરે આવી તેમની સાથે ઝઘડો કરી રૂપાબેનને અલ્પેશે માથામાં અને શરીરના અન્ય ભાગો ઉપર સીમેન્ટના થાંભલાનો ટુકડો તેમજ લાકડાના ડંડાથી માર માર્યો હતો. 

(5:25 pm IST)