Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મહેસાણામાં એકજ રાતમાં તસ્કરોએ ચાર મકાનના તાળા તોડ્યા

મહેસાણા: શહેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં વધારો થઈ રહ્યો છે. પ્રજાની માલમત્તા સુરક્ષિત ન રહેતા પ્રજામાં ભારે રોષ સાથે ભયનો માહોલ ઉદ્ભવ્યો છે. ત્યારે નિશાચરોએ  પોલીસને જાણે ચેલેન્જ  ફેંકી હોય તેમ એક પછી એક ઘરફોડ ચોરીને અંજામ આપી રહ્યા છે તેમ મહેસાણા શહેરમાં શનિવાર રાત્રીએ સોમનાથ રોડ પર ત્રણ મકાન જ્યારે ઉચરપી રોડ પરનું એક મકાન મળી ચાર મકાનને નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને ૮૦ હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મહેસાણાના સોમનાથ રોડ પર સોમેશ્વર કુંજવિહાર સોસાયટીમાં બે મકાન, શિવકુટીરમાં એક મકાન અને ઉચરપી રોડ પર શિવમ રેસીડેન્સીમાં એક મકાનમાં શનિવાર રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. સોમેશ્વર કુંજવિહારમાં આવેલ મકાન નં. ૧૬ માં રહેતા રજનીકાન્ત ધનેશભાઈ પરમારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી મકાનમાંથી સોનાચાંદીના દાગીના તથા રૂ. ૧૫ હજાર રોકડ મળી કુલ રૂ. ૭૦,૬૦૦ની મતા ઉઠાવી ગયા હતા.

(5:35 pm IST)