Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સુરતના રાંદેર કોઝવે પર સેલ્ફી લેવા જતા ૪ યુવાનો ડુબ્યા : બેના કરૂણ : બેનો બચાવ

રાજકોટ તા. ૧૧ : સુરતના રાંદેર કોઝવે પર સેલ્ફી લેતા ૪ યુવાનો ડૂબી ગયા હતા. જેમાં બેનો બચાવ થયો છે અને બે યુવાનોના કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

રાંદેર કોઝ-વે ખાતે ચાર મિત્રો ફરવા માટે ગયા હતા. દરમિયાન સેલ્ફી લઈ રહ્યા હતા. જેમાં બે મિત્રો કોઝ-વેમાં પડી ગયા હતા. જેને બચાવવા માટે બે મિત્રો પણ પડ્યા હતા. જોકે, ચારેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. રાહદારીઓએ જોઈ જતા ફાયરને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. દરમિયાન બે મિત્રોને લોકોએ બચાવી લીધા હતા. જયારે બે મિત્રોને ફાયર વિભાગે બચાવ્યા હતા. બે બેભાન સહિત ચારેય મિત્રોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે મિત્રોનું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ બે મિત્રોને બચાવી લીધા હતા. જયારે ફાયર વિભાગે પહોંચી બે મિત્રોને બહાર કાઢ્યા હતા. જેમાં બે મિત્રો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જયારે બેની હાલતમાં સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. બેભાન બે મિત્રોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા. જયાં બે મિત્રોનું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું છે.(૨૧.૨૦)

(12:56 pm IST)